GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.
ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે.
iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક પાત્ર ઉલટા શંકુ (inverted cone) આકારનું છે. તેની ઉંચાઈ 8 સેમી અને તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજયા 5 સેમી છે. તે પાણીથી ટોચ સુધી ભરાયેલું છે. જ્યારે તેમાં 0.5 ત્રિજ્યાના સીસાના ગોળા (spherical lead shots) નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો કેટલા સીસાના ગોળા નાખવામાં આવ્યા હશે ?

50
75
આપેલ પૈકી કોઈ નહીં
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કચ્છના રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે.
કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજામન્નાર સમિતિની નીચેની પૈકી કોઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ?

અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ
કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ
આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો.
T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W &
નીચે પૈકી કયું ડાબા છેડાથી 17મા સ્થાને છે ?

આપેલ પૈકી કોઈ નહીં
8
P
9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી.
ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.
iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP