GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? (I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે. (II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ. (III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી વાંચો અને કયું / ક્યાં સાચું / સાચાં છે, તે જણાવો. (I) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 19 સભ્યો હોય છે. (II) EXIM બેંકના અધ્યક્ષ અને વહીવટી નિયામક એ મુખ્ય કાર્યપાલક અને પૂર્ણસમયના નિયામક છે. (III) EXIM બેંકની સત્તાવાર મૂડી રૂા. 200 કરોડ છે, કે જેમાં રૂા. 75 કરોડ ભરપાઈ મૂડી છે. (IV) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વેપારી બેંકના પ્રતિનિધઓનો સમાવેશ થતો નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ? નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ? (I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી. (II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે. (II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે. (II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.