GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ?
I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય
II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ
III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે
IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે
આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.

ફક્ત IV
III અને IV
I અને IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે. નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. માંગ એ ખરીદ શક્તિ અને ચુકવણી કરવાની ઈચ્છા દ્વારા સમર્થિત ચીજવસ્તુની ઈચ્છા છે.
II. માંગ એ કોઈ ચીજ વસ્તુની ઇચ્છા છે.
III. માંગની હંમેશા ચીજવસ્તુના ભાવ ના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે.
IV. કોઈ ચીજ વસ્તુઓની માંગ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.

II અને IV
ફક્ત I
I અને III
I, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961ની કલમ2(24) અનુસાર આવકમાં નીચેના પૈકી સમાવેશ થાય છે ?
i. કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે બેન્કિંગ ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ.
ii. કી-મેન ઇન્સ્યુરન્સ પોલીસી અંગે બોનસ સહીત મળેલ રકમ.

બંને i અને ii
માત્ર ii
માત્ર i
i અને ii બેમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

હિસ્સેદારોના હિતોનું રક્ષણ
એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી
કર્મચારીઓ પર નૈતિક તપાસ
કરનું સમાધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કયું વિધાન સંચાલકીય હિસાબનીશ (Management Accountant) ની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ?

સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે.
સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
આપેલ પૈકી એક પણ નહીં
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP