GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

ફક્ત I, II અને III
ફક્ત I, II અને IV
I, II, III અને IV
ફક્ત I, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ સેવાઓ કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ (Tribunal) (CAT) ના ક્ષેત્રાધિકાર હેઠળ સમાવિષ્ટ છે ?
1. કેન્દ્રીય મુલ્કી સેવાઓ
2. કેન્દ્ર હેઠળની મુલ્કી સેવાઓ અને સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ (Civilian employees)
3. સંસદીય સચિવાલયનો કર્મચારી વર્ગ (Secretarial staff of the Parliament)
4. સર્વોચ્ચ અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓ

માત્ર 1, 2 અને 3
માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.
4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.

માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ નદીના આસપાસના વિસ્તારને 'નિખિલસ્તાન' કહે છે જેનો અર્થ ___ થાય છે.

મૃતનો બગીચો
સિંધનો બગીચો
ઈડનનો બગીચો
સ્વપ્નોનો બગીચો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે ?

અંબરનાથ મંદિર
નવલખા મંદિર
ગોપનું મંદિર
શેઠ હઠીસિંગ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
1. રાષ્ટ્રપતિ
2. ઉપરાષ્ટ્રપતિ
3. રાજ્યસભા
4. વિધાન પરિષદ
5. રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી

માત્ર 1, 2, 3 અને 4
માત્ર 1, 2, 3 અને 5
1, 2, 3, 4 અને5
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP