GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

ફક્ત I, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત I, II અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ?

અમરસિંહ ગામીત
કોટલા મહેતા
રાયસીંગભાઈ ચૌધરી
ગોવિંદભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?
I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્
II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્
III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્

ફક્ત I અને III
ફક્ત I અને II
I, II અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'કાકડાનૃત્ય' ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

વૃક્ષદેવ
બળિયાદેવ
નાગદેવતા
જળદેવતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં.
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત I અને III
ફક્ત II અને III
ફક્ત I
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી છે.
તારણો :
I. સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી.
II. પ્રદર્શનમાં મુકેલ વસ્તુઓ હંમેશા કીમતી હોય છે.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP