GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. કેખુશરો કાબરાજી
II. વાઘજીભાઈ આશારામ ઓઝા
III. ડાહ્યાભાઈ ધોળશાજી
IV. જયશંકર 'સુંદરી'
a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી
b. શ્રી દેશી નાટક સમાજ
c. વિક્ટોરિયા નાટક મંડળી
d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી

I-a, II-c, III-b, IV-d
I-c, II-d, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d
I-c, II-b, III-a, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

ફક્ત I, II અને IV
ફક્ત I, II અને III
I, II, III અને IV
ફક્ત I, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે.

મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને મૂળભૂત હકો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મોહેં-જો-ડરો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરૂષની અર્ધ-પ્રતિમા ___ ની બનેલી છે.

પકવેલી માટી (ટેરાકોટા)
રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન)
રેડ સ્ટોન
સ્ટીટાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે.
આપેલ પૈકી એક પણ નહીં
તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ?
I. સરદાર પટેલ
II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ
III. વી. પી. મેનન
IV. કે. એમ. પાનીકર

ફક્ત III અને IV
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP