GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કક્ષા-II (Leve-II) ના ઉદ્યોગ-સાહસ ગણાય છે ?
1. ભારત બહાર નોંધાયેલ ઉદ્યોગ સાહસ
II. જેનું ટર્નઓવર અગાઉના હિસાબી સમયગાળા દરમિયાન 50 કરોડથી વધારે હોય તેવા તમામ વ્યાપારી, ઔધોગિક અને વાણીજ્ય અહેવાલવાળા ઉધોગ-સાહસો
III. નાણાકીય સંસ્થાઓ
IV. વીમાનો ધંધો કરતા ઉધોગ-સાહસો
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર II
II અને IV
I અને III
માત્ર III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 હેઠળ નીચેના પૈકી કઈ આવકને ખેતીની આવક નહીં ગણવામાં આવે ?

ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક
બીજના વેચાણમાંથી થતી આવક
જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી
જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી.

સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો
ફરતી ચાલુ મિલકતો
રૂઢીચુસ્ત ચાલુ મિલકતો
સખત ચાલુ મિલકતો (hardcore current assets)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961 અંતર્ગત આકારણી વર્ષ-2021-22 માટે સુ. શ્રી ‘A’- બિનરહીશની કુલ આવકની અને કર અંગેની જવાબદારીની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયો લાભ મળવાપાત્ર નથી ?

બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત.
તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત.
રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત.
તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ).

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility) અને રેપો રેટ વિશે નીચેનામાંથી ક્યુ/ક્યા વિધાન/વિધાનો સાચા છે ?
વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. સીમાંત સ્થાયી સુવિધાને મે, 2011થી લાગુ કરવામાં આવી હતી.
II. સીમાંત સ્થાયી સુવિધા હેઠળ વેપારી બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી વર્તમાન રેપો રેટ કરતા એક ટકા વધારે વ્યાજે ઉધાર લઇ શકે છે.
III. રેપો રેટ અને વ્યાજ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકો પાસેથી પૈસા લે છે.
IV. રેપો રેટમાં વધારાથી અર્થવ્યવસ્થાના રોકડતા વધે છે.

I અને II
II અને IV
I અને IV
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP