GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો. 2. આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 kg નો હતો. 3. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો / હસ્તકલાકારો આવરી લેવાયાં છે. 4. આ યોજના હેઠળ તમામ આદિમજાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવાયાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. મોટા પ્રમાણમાં ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તર આસામ, પૂર્વ હિમાલયના નીચલા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. 2. સૂકા ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તરીય પર્વતીય વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે. ૩. પર્વતીય સમશીતોષ્ણ વન – પશ્ચિમ ઘાટ, આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જોવા મળે છે. 4. ઉપ-ઉષ્ણકટિબંધીય પર્વતીય વન - ટ્રાંસ હિમાલયમાં જોવા મળે છે.