GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું. II. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી. III. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચે આપેલી આકૃતિમાં, સમદ્વિબાજુ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ 72 ચો સેમી, BE = AB અને AB = 2 AD, AE || DC છે, તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ? I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ III. વી. પી. મેનન IV. કે. એમ. પાનીકર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે ?