GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory liquidity ratio) 70 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ?

શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે.
આપેલ તમામ
ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (Gross domestic product) માં તીવ્ર વધારો થાય છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign institutional investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે.
2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે.
3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે.
4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઈન્ડિયા હાઉસ રાખ્યું.
ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.
iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન "મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે." હતું.
iv. ભગતસિંહ એ "ઈન્કલાબ જિંદાબાદ" નો યુદ્ધ-નારો આપ્યો હતો.

ફક્ત ii, iii અને iv
i,ii,iii અને iv
ફક્ત i, iii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ?

અલ્બુકર્ક
નુનો દા કુન્હા
ફ્રાંસિસ્કો ડી અલ્મીડા
વાસ્કો-દ-ગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ___ છે.

આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી.
તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે.
થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે.
તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP