GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી.
2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે.
3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી.
4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે.
2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે.
3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી.
3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 42મા અને 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળ દ્વારા સહાય અને સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી દીધી છે.
2. એક વખત સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું હતું કે લોકસભાના વિસર્જન થયા પછી પણ મંત્રીમંડળનો હોદ્દો (office) પૂર્ણ થતો નથી.
3. અનુચ્છેદ 74 વૈકલ્પીક છે, તેથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સહાય અને સલાહ વગર કારોબારી સત્તાઓ વાપરી શકે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદની સંરચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. હાલ રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધીત્વ કરતાં 229 સભ્યો, 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અને 12 નિયુક્ત સભ્યો ધરાવે છે.
2. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 નિશ્ચિત થયેલી છે.
3. હાલ લોકસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતાં 530 સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં 13 સભ્યો ધરાવે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP