GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. તેની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી. 2. તે CBIના કાર્યો પર દેખરેખ રાખતું નથી. 3. તે ભારત સરકારના કારોબારી ઠરાવને આધારે રચવામાં આવ્યું હતું. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. મુઘલ લઘુચિત્ર રંગકામ (Miniature painting) એ લોકપ્રિય લઘુચિત્ર (miniature) શાળાઓમાંની એક છે. 2. જયદેવનું ગીત ગોવિંદ એ બાશોલી રંગચિત્રમાં વર્ણવવામાં આવ્યું છે. 3. ‘‘અકબર હંટીંગ’’ એ લોકપ્રિય મુઘલ લઘુચિત્રોમાંનું એક છે. 4. ગુજરાતમાં લઘુચિત્ર રંગકામની પરંપરા પ્રચલિત હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ગત વર્ષની અંદાજપત્રીય દરખાસ્ત કરતાં રૂા. 9,742 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. 2. આ અંદાજપત્ર આશરે 588 કરોડની પૂરાંત (surplus) ધરાવે છે. 3. અટલ ભૂજલ યોજના અંતર્ગત પાંચ વર્ષ માટે રૂા. 757 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2019માં ગુજરાતમાં વરસાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. રાજ્યમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 2. રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં થયો હતો. 3. કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો. 4. તે વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 1176 મીમી વરસાદ થયો હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે. 2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે. 3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.