GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અજીત રૂ. 80 પ્રતિ રીમ ના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. ત્યારબાદ તે રૂ. 280 ટ્રાન્સપોર્ટ માટે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે અને રૂ. 72 કુલીને ચૂકવે છે. હવે જો તે 8% નફો મેળવવા માગતો હોય તો તેણે કયા ભાવે પ્રત્યેક રીમ વેચવું જોઈએ ?

રૂ. 90
રૂ. 87.80
રૂ. 88
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
UDAY યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. UDAY ભારતમાં વિવિધ રાજ્યોના માંદા પાવર ડીસકોમ (discoms)ને મદદ કરવા માટેની કેન્દ્રીય યોજના છે.
ii. આ યોજના હેઠળ નુકસાન કરતાં પાવર ડીસકોમના દેવાનો બોજ જે તે પાવર ડીસકોમ અને જે તે રાજ્ય દ્વારા 1:3 ના ગુણોત્તમાં વહેંચાશે.
iii. પોતાના હિસ્સાના દેવાની ભરપાઈ કરવા માટે પાવર ડીસકોમને UDAY બોન્ડ જારી કરવા માટેની છૂટ આપવામાં આવેલી છે.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે.
2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે.
3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે.
4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.

ફક્ત 1
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો.
iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.

ફક્ત ii, iii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP