GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે. 2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે. 3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. વર્તમાન સાપ્તાહિક સ્થિતિ – આ અંદાજ હેઠળ, વ્યક્તિએ જો તે સપ્તાહ દરમ્યાન એક દિવસ માટે પણ લઘુત્તમ એક કલાક માટે રોજગારી મેળવેલ હોય તો તે રોજગારી મેળવતો હોવાનું ગણાય છે. 2. વર્તમાન દૈનિક સ્થિતિ – આ પધ્ધતિ હેઠળ, વ્યક્તિ રોજગારી મેળવતી હોવાની તો કહેવાય કે જો તેણે લઘુત્તમ 4 કલાક જે તે દિવસે કામ કર્યું હોય. 3. રોજગારની તીવ્રતા (Employment Intensity) – વાસ્તવિક કુલ ઘરગથ્થું ઉત્પાદન (Real GDP) ના એક હજારે રોજગારી મેળવતી વ્યક્તિઓની સંખ્યા
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે. 2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી. 3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.