સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ?