GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. 2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી 3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી. 4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિશ્વ ભાષા ડેટાબેઝ (world language database), Ethnology ની 22મી આવૃત્તિ અનુસાર, 2019માં હિન્દી વિશ્વની ___ ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.