GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલિન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ (Council of State)ની રચનાની જોગવાઈ કરી. 2. આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935 માં અસ્તિત્વમાં આવી. ૩. તે વખતે ગવર્નર-જનરલ તત્કાલિન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ હતા.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે. 2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે. 3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ, 1996 હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્યક લવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ શરૂ કરી શકય છે. 2. ફક્ત નોંધાયેલા વકીલો (Advocntes on Record) સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટેની પાત્રતા ધરાવે છે. ૩. કોઈપણ દીવાની અથવા ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હકૂમત (appellate jurisdiction) હેઠળ આવે છે.