GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

બધા વિધાનો ખોટા છે.
બધા વિધાનો સાચા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છે
II. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે.
III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે.
IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે.

I અને II
II અને IV
I, II અને IV
II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને કલમ 130 હેઠળ હિસાબો ફરીથી ખોલવા માટેનો અધિકાર આપવામાં આવેલ છે.

કેન્દ્ર સરકાર
ન્યાયપંચ
અદાલત અથવા /અને ન્યાયપંચ
અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.
હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે.

જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર.
કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર
કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર
ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP