GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીયોટ (Siyot) ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સીયોટ ગુફાઓનો કાટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે.
2. આ ગુફાઓ એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી (Rock cut) પાંચ ગુફાઓ છે.
3. મુખ્ય ગુફા પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ (ambulatory) તથા અંતરાલ ખંડો (space divisions) ધરાવે છે જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિરનું સૂચન કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)
1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ
2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા
3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ
4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.
1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.
2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.
3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.
4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો મુખ્ય વિચાર ___ છે.

તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ
વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ
સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો.
2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો.
3. સતી પ્રથા પ્રચલિત હતી.
4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP