GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે.
ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી.
આપેલ પૈકી કોઈ નહીં.
ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનો ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી કરવામાં આવે છે.
2. વડી અદાલતના કર્મચારી વર્ગના પગાર, ભથ્થા તેમજ પેન્શન તથા વહીવટી ખર્ચા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી આવકારવામાં આવે છે.
3. વડી અદાલતના નિવૃત ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલત સિવાયની અન્ય કોઈ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે.
તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.
II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો.
III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.

ફક્ત I
ફક્ત II અને III
ફક્ત III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.
II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.
III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો.

ફક્ત II
ફક્ત I અને II
ફક્ત III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ABCD એક સમલંબ ચતુષ્કોણ છે, જેમાં AB || CD, AD ⊥ DC, AB = 20 cm, BC = 13 cm અને DC = 25 cm છે. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?

270 cm²
232 cm²
આપેલ પૈકી કોઈ નહીં
354 cm²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP