ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?
ટકાવારી (Percentage)
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?
બંને અથવા એક વિષયમાં પાસ = 55 + 60 -22 = 93 બંને વિષયમાં નાપાસ = 120 - 93 = 27
ટકાવારી (Percentage)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?