GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) અને ભારત વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે.
આપેલ પૈકી એક પણ નહીં
IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં પાણી સમિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પાણી સમિતિ, કે જે 10-12 સભ્યોની બનેલી હોય છે, તેની રચના ગ્રામસભામાં થાય છે.
ii. તે ગ્રામસભાની લોકશાહી ઢબે ચૂંટાયેલી સ્ટેન્ડિંગ સમિતિ છે.
iii.તે ગ્રામ પંચાયત અને 50% મહિલા સભ્યો સાથે સમાજના તમામ વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ ધરાવે છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મૂળભૂત હક્કો અને કાનૂની હક્કો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૂળભૂત હક્કોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે.
2. કાનૂની હક્કોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે.
3. ભારતના બંધારણમાં ભાગ III સિવાય કોઈપણ ભાગમાં કાનૂની હક્કોની જોગવાઈ કરવામાં આવી છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 2 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. PMJJBY 18 થી 50 વર્ષ સુધીના વયજૂથવાળાં લોકો કે જેઓ બેન્ક ખાતું ધરાવે છે અને આ યોજનામાં જોડાવવા તેમજ 'ઓટો ડેબિટ (auto debit)' શરૂ કરવા માટેની સહમતી આપી હોય, તેઓ માટે ઉપલબ્ધ છે.
ii. લાઈફ કવર રૂ‌. બે લાખનું રહેશે કે જે પહેલી જૂનથી 31મી મે સુધીનું રહેશે અને તેને ફરીથી તાજું/નવીનીકરણ કરાવી શકાશે.
iii. ફક્ત અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ રૂ. બે લાખનું છે.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP