GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું.
ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં
અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં
જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ તમામ
તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી.
તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે.
તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદમાં ખાસ બહુમતી નિયમો (Special Majority Rules) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ખાસ બહુમત પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનો બહુમત છે.
ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહિ તે ધ્યાને લીધા વિના ગૃહના કોઈ સભ્યો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP