GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે.
2. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઈટનો સમૃધ્ધ સ્ત્રોત છે.
3. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી.
4. છોટાઉદેપુર ખાતે ફલોરસ્પારની ખાણ જોવા મળે છે.

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ખારી નદી
2. દમણગંગા
૩. બનાસ
4. શંત્રુંજી
યાદી-II
a. મધુબન ડેમ
b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે
d. કચ્છના નાના રણમાં મળે છે

1 - a, 2 – b, 3 - c, 4 - d
1 - b, 2 – a, 3 - d, 4 - c
1 - d, 2 – b, 3 - c, 4 - a
1 - c, 2 - d, 3 – b, 4 – a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ.
2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી.
3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે.
4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.

માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે.
2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે.
3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP